Category દાદાખાચર

જીવુંબાં એ શ્રીહરિના રીંગણાનું શાક અને ઓળો જમવાનો સંકલ્પ જાણીને થાળ બનાવીને શ્રીહરિને રાજી કર્યા.

શ્રીજીમહારાજ ગઢપુરમાં બીરાજતા હતા. એકદિવસે શ્રીહરિ સંતો-ભક્તો સાથે રાધાવાવે પધાર્યા હતા. શ્રીહરિ સન્મુખ સહું સભામાં બેઠા હતા અને શ્રીહરિની અમૃતવાણીનું સહુ પાન કરતા હતા. એ વખતે પ્રેમમુર્તિ એવા સદગુરુ સચ્ચિદાનંદ સ્વામીએ રાધાવાવે વાડીમાં શ્રીહરિના થાળ સારું રીંગણી વાવેલી, તે જોઈ…

શ્રીજી મહારાજે કહ્યું, ”સાધુમાં ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ભક્તોમાં દાદા ખાચર, પર્વતભાઈ જેવા કોઈ અમે જોયા નથી. એ કારણે તો અમે આંહી કાઠિયાવાડમાં રહ્યા છીએ.

એકસમે ગઢપુરમાં શ્રીજી મહારાજનાં દર્શન કરવા પર્વતભાઈ અને એમના પત્નિ અમૃતબાઈ સાથે મુકતરાજ મયારામ ભટ્ટ આવ્યા. ત્યારે શ્રીજી મહારાજે સભામાં કહ્યું, ”સાધુમાં ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા કોઈ અમને સાધુ મળ્યા નહીં અને બ્રહ્મચારીમાં મૂળજી બ્રહ્મચારી, જેરામ બ્રહ્મચારી…

અમરાખાચર ખુલ્લી તલવાર લઇને અતિ શુરવિરતાથી ગરજતાં થકા બોલ્યા કે “ગઢપુર મંદિર તો શું પણ જો એ હરિયો ગઢપુર ગામમાં પગ મુકે તોય હું એને વાઢી નાંખીશ, ને જો એમ ન કરું તો હું દાદાખાચરનો દિકરો નહી.”

ગઢપુર ગામધણી એભલબાપુંનો પરિવાર એટલે શ્રીહરિને સ્નેહને તાંતણે બાંધી રાખનારા અનાદિ મુકતો, આવા જ દાદાખાચરના નાના દિકરા અમરાખાચર હતા. શ્રીહરિએ દાદાખાચરના બીજા વિવાહ ભટ્ટવદર ગામે નાગપાલ વરું ના દિકરી જસુંબાં સાથે કરાવ્યા, એમના કૂખે મોટા દિકરા બાવાખાચર અને નાના દિકરા…

વાંકિયાના રાજબાઈ : ”મા ! બળી મારી ચૂંદડી, મારે તો ચૂંદડી આવશે અમરવર પુરુષોત્તમનારાયણની…!’

વાંકિયા ગામના દરબારગઢમાં દસ-બાર વર્ષની દીકરી રાજબાઈ ઢીંગલા-ઢીંગલી કે પાંચીકા સાથે નહીં, પણ ઠાકોરજીની મૂર્તિ સાથે કાલાવાલા કરતા. ઠાકોરજીની મૂર્તિને નવડાવે, શણગાર ધરાવે, ભાવથી જમાડે, જમાડતાં-જમાડતાં ઠાકોરજી હારે વાતો કરે કે ‘જમોને મહારાજ, કેમ નથી જમતા ? ભૂખ નથી કે…

આંબરડી ના બહારવટે ચડેલા જોગીદાસ ખૂમાણ ને વજેસિંહજીબાપુ (ભાવનગર રાજ્ય) વચાળે દાદાખાચરે સાણાંના ડુંગરાઓમાં સમાધાન કરાવ્યું.

ભાવનગર રાજ્ય અને આંબરડી ના જોગીદાસ ખૂમાણ પરિવારને ગરાસ બાબતે તકરાર ચાલતી હતી અને તેઓ ભાવનગર રાજ્ય સામે બહારવટે ચડ્યા હતા. ઇ.સ. ૧૮૨૪ માં ખૂમાણોએ ગોહીલવાડના ગામ જૂણવદરમા હુમલો કરીને ઢોર વાળી આવ્યા હતા ને વલારડી અને ઘૂઘરલા ગામમાં આશ્રય…

લાલજીએ નંદરામજીને દર્શન દીધું ને કહ્યું કે ‘તમારા ભાઇ ગોપાળજીએ શ્રીહરિને સર્વ અવતારના અવતારી જાણી ને પ્રસાદ લીધો એ યોગ્ય છે, એમાં કાંઇ ખોટું કર્યું નથી.’

શ્રીહરિ દાદાખાચરને પરણાવીને ગઢપુર પરત આવ્યા, આ સમયે ધર્મકુળ અને સચ્ચિદાનંદ સ્વામી વગેરે સહુ પણ ફાગણ સુદ છઠ્ઠા દિવસે દ્વારિકાની યાત્રા કરીને ગઢપુર પરત આવ્યા. શ્રીહરિના કહેવાથી સચ્ચિદાનંદ સ્વામીએ શ્રીદ્વારિકાધિશ પ્રભું અને સર્વ તીર્થો સાથે પધાર્યા હોવાની સર્વ વાત સહુંને…

શ્રીજીમહારાજ કહે, ‘નાજા જોગિયા! આ બાઈને પોતાના માવતરના મલકનું કેવું હેત છે. જો આવું હેત જીવને ભગવાનમાં બંધાઈ જાય, તો બેડો પાર થઈ જાય !

ગઢડા શ્રીગોપીનાથજી મહારાજના મંદિરના કામકાજનો આરંભ થઈ ગયો ને જરુરી માલસામાન આવતો થયો. પાયા ગળાઈ ગયા હતા પણ ભાવનગરના રાજા વજેસિંહ દરબારનો મંજૂરીનો કાગળ ન આવ્યો. એટલે શ્રીહરિએ દાદાખાચરને રૂબરૂ ભાવનગર મોકલ્યા. દરબારે મીઠાશથી જવાબ આપ્યો, “હજુ મારી પાસે કાગળો…

મહારાજે હંસતા હસતાં પ્રેમીભક્ત આંબાશેઠને કીધું, “ખીજડા આવે, લીંબડા આવે, તો આંબો કેમ નો આવે ? જરૂર થી આવજો

એક સમયે શ્રીજી મહારાજે, એકાંતવાસ રાખ્યો હતો; એવામાં એક વાર આંબા શેઠ, મહારાજના દર્શને ગઢડે આવ્યા. હવે અંહિયા તો મહારાજની આજ્ઞા સિવાય, કોઈ જ દર્શન નો જઈ શકે. પણ પ્રેમીભક્ત આંબાશેઠ તો વળી કેવી રીતે દર્શન વિના રહી શકે ?…

શ્રીજીમહારાજે રઘુવીરજી તથા અયોધ્યાપ્રસાદજીને કહ્યું: “આ બ્રહ્માનંદ સ્વામી તમારા દશોંદી છે, અમારા જશ રોજ ગાય છે માટે વસ્ત્ર તો અમે આપ્યા પણ તમારે એમને ચોખા, દૂધ અને સાકાર નિત્ય આપવા.”

સંવત ૧૮૮૨ના કારતક સુદિ‌ પ્રબોધીની એકાદશીને દિવસે શ્રીજીમહારાજે વડતાલમાં મોટાભાઈ શ્રી રામપ્રતાપભાઈના પુત્ર શ્રીઅયોધ્યાપ્રસાદજી અને નાનાભાઈ શ્રી ઈચ્છારામભાઈના પુત્ર શ્રીરઘુવીરજીને પોતાના દત્તકપુત્ર તરીકે લઈ અમદાવાદ (ઉત્તર) અને વડતાલ (દક્ષિણ) એમ બે દેશની ગાદીના આચાર્યપદે સ્થાપ્યા . ત્યારબાદ સંવત ૧૮૮૩ના માગસર…

શ્રીહરિએ જેઠા ભગતને બોલાવી કહ્યું કે “આવો જેઠા ભગત! તમને તો ડાકોરનાથ શ્રીરણછોડરાયે મોક્ષ કરવા માટે મોકલ્યા છે ને?

વડતાલથી આશરે ૨૬ કીલોમીટરના અંતરે દાવલ ગામ (હાલનું નામ દાવોલ) આવેલું છે. આ દાવોલ ગામમાં જેઠાભાઇ પટેલ નામના મુમુક્ષુ હરિભકત રહેતા હતા, જેમણે ભગવાન શ્રીહરિને પામવા સારું અદભુત પ્રયત્ન કરેલો. જેઠાભાઇ પટેલ દાવોલ ગામમાં ખેતીવાડી કરતા હતા. દાવલ ગામમાં રામજી…

ભકતરાજ અલૈયા ખાચર કાયમ ખુબ ઉદાસ થઈને પોતાનું બનાવેલું કીર્તન આર્તનાદે ગાતા: ભણે અલૈયો કાં જઉંને ભણું વાલા, મોળા સામીને ભણજો ! મોળા વાલા ! સેજાનંદ સામી વન્યા, ઘડીયે રયો નો જાય..!

ઝીંઝાવદર ગામના રાજા અલૈયાખાચર શ્રીજીમહારાજના અનન્ય ભક્ત હતા. તેમનું જીવન ખુબ રજવાડી ઠાઠમાઠવાળું હતું, છતાં શ્રીહરિ ના એકવચને તેઓ પરમહંસ દીક્ષા લઇને પોતાનો રજવાડી વેશ પોતાની ઘોડી ઉપર મેલીને ગામ બહારથી જ અઢાર પરમહંસો સાથે ભૂજ જવા ચાલી નીકળ્યા હતા.…

શ્રીજીમહારાજ હસતા થકા બોલ્યા કે “અલી મહંમદ..! જા તું અમારા શરણે થયો છે તો તને એક હજારના દસ હજાર મળશે..!”

એકવખતે શ્રીજીમહારાજ ગઢપુરમાં દાદાખાચરના દરબારમાં લીંબવૃક્ષના ઓંટાએ ઉગમણી કોર ફળીમાં બેઠા હતા. એકવખતે અલી મહંમદ નામનો એક મુસલમાન ઘોડાનો સોદાગર દરબારગઢમાં આવ્યો. એ વખતે એના સમક્ષ ત્યાં ફળીમાં તાજણ ઘોડીને શ્રીહરિએ ફેરવી બતાવી. એ સોદાગર તો શ્રીહરિને જોઇને ચકિત થઇ…

શ્રીહરિ બોલ્યાકે “એભલબાપું, આ દાદો તો અમારો છે, આ તમારો દરબારગઢ ને આ ગઢડું તો અમે અમારું ઘર માની ને રહ્યા છીએ અને કાયમ રહીશું..!”

શ્રીહરિ એભલ બાપુંના અતિ આગ્રહે એમના પ્રેમને વશ થઇને કારીયાણીથી ગઢપુર પધાર્યા. લાડુંબાં-જીવુંબાં બેઉ બહેનો અતિ આનંદ પુર્વક શ્રીહરિની તેમજ સર્વ સંતો-ભક્તોની અતિ મહીમા સમજીને સર્વ સેવા કરતા. શ્રીહરિ ગઢપુર પધાર્યા ત્યારે નાના એવા દાદાખાચર ની ઉંમર એ વખતે ચાર…

દાદાખાચર નું સમર્પણ

ગઢપુર મા જળઝીલણી એકાદશી ના દિવસે દાદાખાચરે પીપળાના ઝાડ વાળા મારગ ને સુમાબાઇ ની વોંકળીની વચાળે થોરની વાડ્ય હતી ઇ ઓરીયાની જમીનનો લેખ શ્રીગોપીનાથજી મહારાજના થાળ સારુ શ્રીજીમહારાજને અર્પણ કર્યો. મહારાજ બહુ રાજી થયા. જળઝીલણી એકાદશીના દિવસે શ્રીહરિ જરીયાની જામોને…