Category પર્વતભાઇ

શ્રીજી મહારાજે કહ્યું, ”સાધુમાં ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ભક્તોમાં દાદા ખાચર, પર્વતભાઈ જેવા કોઈ અમે જોયા નથી. એ કારણે તો અમે આંહી કાઠિયાવાડમાં રહ્યા છીએ.

એકસમે ગઢપુરમાં શ્રીજી મહારાજનાં દર્શન કરવા પર્વતભાઈ અને એમના પત્નિ અમૃતબાઈ સાથે મુકતરાજ મયારામ ભટ્ટ આવ્યા. ત્યારે શ્રીજી મહારાજે સભામાં કહ્યું, ”સાધુમાં ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા કોઈ અમને સાધુ મળ્યા નહીં અને બ્રહ્મચારીમાં મૂળજી બ્રહ્મચારી, જેરામ બ્રહ્મચારી…

ભકતરાજ અલૈયા ખાચર કાયમ ખુબ ઉદાસ થઈને પોતાનું બનાવેલું કીર્તન આર્તનાદે ગાતા: ભણે અલૈયો કાં જઉંને ભણું વાલા, મોળા સામીને ભણજો ! મોળા વાલા ! સેજાનંદ સામી વન્યા, ઘડીયે રયો નો જાય..!

ઝીંઝાવદર ગામના રાજા અલૈયાખાચર શ્રીજીમહારાજના અનન્ય ભક્ત હતા. તેમનું જીવન ખુબ રજવાડી ઠાઠમાઠવાળું હતું, છતાં શ્રીહરિ ના એકવચને તેઓ પરમહંસ દીક્ષા લઇને પોતાનો રજવાડી વેશ પોતાની ઘોડી ઉપર મેલીને ગામ બહારથી જ અઢાર પરમહંસો સાથે ભૂજ જવા ચાલી નીકળ્યા હતા.…

પંચાળા-અગત્રાઇ સત્સંગીઓએ ગોળ પાર્ષદોને આપ્યો અને કહ્યું જે, ‘મહારાજ ભલે ના કહે, તમે આ ગોળ લઇ જજો અને અમારા વતિ શ્રીજીમહારાજને જમાડજો. અમારું જીવતર લેખે લાગશે’.

સંવત્‌ ૧૮૮૪ના વૈશાખ વદ ૨ ને દિવસે જુનાગઢ મંદિરમાં શ્રીહરિએ પોતાના સ્વહસ્તે મૂર્તિઓની પ્રતિષ્ઠાવિધી કરી, તેમાં વચલા મંદિરમાં શ્રીરણછોડજી અને શ્રીત્રિકમજી અને ઉગમણા મંદિરમાં સોરઠના ધીંગાઘણી શ્રીરાધારમણ દેવની મૂર્તિ અને આથમણા મંદિરમાં શ્રીસિધ્ધેશ્વર મહાદેવજી અને માત્ પાર્વતી અને શ્રીગણપતિજી ને…