Category ભક્તવત્સલ શ્રીહરિ

વહેલાલના જેસંગભાઇના પિતા રઘુનાથદાસ શ્રીહરિના ચરણે પ્રાર્થના કરતા થકા બોલ્યા કે ‘હે પ્રભું, જ્યારે આવે મારો અંતકાળ, તમે પધારજો તતકાળ..!’

શ્રીહરિ જેતલપુરમાં રંગમહોલમાં સંતો-પાર્ષદો સાથે બીરાજતા હતા. આ વખતે બારભાયા ગુરુભાઇ એવા રામદાસસ્વામી આવ્યા ને શ્રીહરિને દંડવત પ્રણામ કર્યા. શ્રીહરિ સ્વામીને બાથમાં ઘાલીને મળ્યા. આ વખતે રામદાસ સ્વામી સાથે ગામ વહેલાલના જેસંગભાઇ આવ્યા હતા, જેઓ શ્રીહરિને પ્રણામ કરીને ઉભા રહ્યા…

શ્રીજી મહારાજે કહ્યું, ”સાધુમાં ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ભક્તોમાં દાદા ખાચર, પર્વતભાઈ જેવા કોઈ અમે જોયા નથી. એ કારણે તો અમે આંહી કાઠિયાવાડમાં રહ્યા છીએ.

એકસમે ગઢપુરમાં શ્રીજી મહારાજનાં દર્શન કરવા પર્વતભાઈ અને એમના પત્નિ અમૃતબાઈ સાથે મુકતરાજ મયારામ ભટ્ટ આવ્યા. ત્યારે શ્રીજી મહારાજે સભામાં કહ્યું, ”સાધુમાં ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા કોઈ અમને સાધુ મળ્યા નહીં અને બ્રહ્મચારીમાં મૂળજી બ્રહ્મચારી, જેરામ બ્રહ્મચારી…

ગામ ખોલડિયાદના અતિ પ્રેમી એવા મુકતરાજ ખેંગારભાઇ

એકવાર ગામ ખોલડિયાદ ના શ્રીહરિને વિશે અતિ પ્રેમી એવા મુકતરાજ ખેંગારભાઇ ગઢડે શ્રીહરિના દર્શને આવ્યા, શ્રીહરિ એ સમે થાળ જમીને પોતાના ઉતારાને વિશે તકીયે ઓઠીંગણ દઇને સુતા હતા. ખેંગારભાઇએ આવીને શ્રીહરિને દંડવત કર્યા અને પ્રણામ કરીને શ્રીહરિના ચરણે બેઠા થકા…

રાઇબાઇમાં એ દરબારોને કહેવડાવ્યું કે શ્રીજીમહારાજ આગળ પાઘડીઓ ઉતારીને અરજ કરો જે, હે મહારાજ ! સાધુઓને ખટરસનાં વર્તમાન મુકાવો એવો વર માગીએ છીએ.

એકવખતે શ્રીજીમહારાજ વિચરણ કરીને ગઢપુર પધાર્યા અને દાદાખાચરના દરબારમાં છાના રહ્યા તે કોઇને દર્શન ન આપે અને એકાંતે રહે. વળી ગામ બોટાદમાં દર્શન દેવા કોઇક દિવસ રાત્રિમાં પધારે તથા ઝીંઝાવદર પધારે અને પાછા ગઢડા પધારે. દિવાળી ઉપર મુક્તાનંદ સ્વામી ગઢડા…

ઝીણાભાઇ હાથ જોડી બોલ્યા કે “અરર… મહારાજ ! આ સંસારીનુ સંકટ સમયનું ધાન તમારે ગળે તે શે ઊતરશે ?”

તિર્થધામ પંચાળાના ગામધણી મનુભા બાપુ (ગરાસિયા) ગુરુદેવ રામાનંદ સ્વામીના શિષ્ય હતા. અષાઢી સં. ૧૮૫૮ના નવરાત્રિ સમયે, રામાનંદ સ્વામી સાથે દરબાર પણ સાથે વિચરણ કરતા હતા. ભગવાન શ્રીહરિને પ્રથમવાર પંચાળા પોતાના દરબારગઢમાં પધરાવ્યા, તે વખતે તેમના પત્ની ગંગાબાને પણ શ્રીહરિનાં પ્રથમ…

ગોંડલના જગમાલભાઇને શ્રીહરિ અંતકાળે તેડી ગયા.

સૌરાષ્ટ્રમાં ગોંડલ ના દેવાજીનો રાજપરિવાર સદગુરૂ રામાનંદ સ્વામી વખતથી સત્સંગ માં રંગાયેલ હતો. રામાનંદ સ્વામી સ્વધામ સીધાવ્યા અને શ્રીહરિ ગાદીએ આરૂઢ થયા પછી દરબાર દેવાજી ને એમના ભાઇ હઠીસીંહને શ્રીહરિમાં અતિ સ્નેહ બંધાયેલ હતો. શ્રીહરિને વખતોવખત ગોંડલમાં તેડાવીને અતિ સ્નેહે…

આધોઇમાં લાધાજીના દરબારમાં કણકોટના સત્સંગીને શ્રીહરિએ કહ્યું જે ‘જો તમે સહુ હરેક ક્રિયામાં અમને સંભારશો તો અમે પણ તમને ખોળતા ખોળતા આવીશું.’

શ્રીહરિ ગામ આધોઇમાં જાડેજા દરબારશ્રી લાધાજીના દરબારમાં બિરાજતા હતા. શ્રીહરિએ કણકોટ જવાની ઇચ્છા કરી એટલે એમના દિકરા અદોજી તથા રાયધણજી ત્રણ ઘોડા તૈયાર કરીને લાવ્યા. શ્રીજીમહારાજ એ ઘોડા ઉપર બેઠા ને બે ઘોડા ઉપર બે ભાઇઓ બેઠાને ત્યાંથી ચાલ્યા તે…

મહારાજે હંસતા હસતાં પ્રેમીભક્ત આંબાશેઠને કીધું, “ખીજડા આવે, લીંબડા આવે, તો આંબો કેમ નો આવે ? જરૂર થી આવજો

એક સમયે શ્રીજી મહારાજે, એકાંતવાસ રાખ્યો હતો; એવામાં એક વાર આંબા શેઠ, મહારાજના દર્શને ગઢડે આવ્યા. હવે અંહિયા તો મહારાજની આજ્ઞા સિવાય, કોઈ જ દર્શન નો જઈ શકે. પણ પ્રેમીભક્ત આંબાશેઠ તો વળી કેવી રીતે દર્શન વિના રહી શકે ?…

ગઢપુર મંદિરના સર્વપ્રથમ મહંત એવા સદગુરૂ વિરક્તાનંદ સ્વામી

ગઢપુર મંદિરના સર્વપ્રથમ મહંત એવા સદગુરૂ વિરક્તાનંદ સ્વામીનો જન્મ ભાલપ્રદેશમાં ખંભાત બારામાં ‘કલોદરા’ ગામમાં થયો હતો. તેઓ નાનપણથી જ ધર્મનિષ્ઠ અને ભગવાનને વિષે અતિ પ્રીતિવાળા હતા. પોતે પુર્વજન્મના મુમુક્ષું હોય એમને નાનીવયે જ વૈરાગ્યનો રંગ લાગતા અસાર સંસાર કડવા ઝેર…

મુકુંદ બ્રહ્મચારીજીના મુખ્ય શિષ્ય એવા શ્રીનારાયણાનંદ બ્રહ્મચારીજીને શ્રીહરિએ વરતાલમાં શ્રીલક્ષ્મીનારાયણાદિ દેવોની સેવામા ને મુખ્ય પૂજારી તરીકે રાખેલા.

શ્રીહરિના અંગભૂત સેવક એવા મુકુંદ બ્રહ્મચારીજીના મુખ્ય શિષ્ય એવી સદ્‌ગુરુ શ્રીનારાયણાનંદ બ્રહ્મચારીજીનો જન્મ ભાલ પ્રદેશના “ખસતા” ગામમાં થયેલો. તેઓ પુર્વજન્મના કોઇ મહાયોગી અને બાળપણથી જ સત્સંગના રંગે રંગાયેલા હતા. તેઓ સત્સંગની તિર્થસમીં પાવનધરણી ગામ પંચાળામાં મુકતરાજશ્રી ઝીણાભાઈના દરબારગઢમાં જ શ્રીહરિના…

ખોપાળાના જેઠા માણિયા કહે ‘જા, જઈને કહેજે કે, શ્રીગોપીનાથજીએ ભેંશો મંગાવી લીધી, ને કાલ્યથી બોઘરણું લઈને સવારે છાશ માંગવા તૈયાર થાજે; નીકર છોકરાંવ છાશ વગરનાં રહેશે.”

સત્સંગ ના જાણીતા ગામ ખોપાળામાં મુકતરાજ જેઠા માણિયા કરીને અતિ પ્રેમી નિષ્ઠાવાન હરિભગત હતા. પોતે શ્રીહરિને સર્વકર્તાહર્તા માનતા. શ્રીહરિ અને સંતો ને કાજે પોતે સર્વસ્વ સમર્પણભાવથી જીવન જીવતા. શ્રીહરિ સીવાય કોઇ તણખલું હલાવવાને સમર્થ નથી એવું પોતે અંતરથી દ્રઢપણે માનતા.…

સદગુરુ મુકતાનંદ સ્વામીએ શ્રીહરિને પુછ્યું કે હે પ્રભું, આપે ચંદનથી કેમ આ લીંબવૃક્ષનું પુજન કર્યું ? શ્રીહરિ કહે કે “સ્વામી, આ લીંબવૃક્ષનો આત્મા તે પુર્વે મોટા યોગી હતા, પરંતું એ યોગી પોતાના ઘર્મથી ભ્રષ્ટ થતા એમને વૃક્ષયોનિમાં આ લીંબવૃક્ષ રુપે અવતરણ થયેલું છે.

ગામ ઝીંઝાવદર માં ભોજાભગત ટાંક અને એમના પત્નિ સાવલબાઇ નામે શ્રીહરિના વીશે અતિ હેતવાળા હરિભકત હતા. ગામધણી દરબાર અલૈયાખાચરના દરબારગઢમાં શ્રીહરિ અને સંતો-ભકતો અવારનવાર પધારતા હોય, આ દોઉં દંપતિ શ્રીહરિના દર્શન અને સંતો તેમજ સાંખ્યયોગી બાઇઓના સમાગમ કરવા અવારનવાર ગઢપુર…

શ્રીહરિ કહે સુરાબાપું સૌને હાસ્યવિનોદ કરાવો એટલે સુરાબાપું એ વાત કરી જે, “ભણું મહારાજ ! કેટલાક ગામનું તો નામ લીધે જ અન્ન નો કટકોય નો મળે ને અનાજને બદલે જૂતિયાં ખાવાં પડે.”

એકવખતે શ્રીજીમહારાજ ગઢપુરમાં દરબારગઢમાં સભા કરીને વિરાજમાન હતા. તે સમે પોતાના સખા સુરા ખાચરે આવી શ્રીજીમહારાજને દંડવત પ્રણામ કર્યા ને સન્મુખ બેઠા. શ્રીહરિ કહે સુરાબાપું કાંઇક સૌને હાસ્યવિનોદ કરાવો એટલે સુરાબાપું એ વાત કરી જે, “ભણું મહારાજ ! કેટલાક ગામનું…

હળિયાદના માવજીભગત કહે, “તારું પાણી દે કોઈક ને, મેં તો તારું પાણી ઘણું પીધું, હવે તો શ્રીહરિ સાથે અક્ષરધામમાં જવું છે.”

ગામ હળિયાદમાં માવજીભાઇ કરીને હરિભગત હતા, તેના ઘરનું માણસ બહુ કુસંગી હતું. બાઇ જ્યારે ભાત લઈને ખેતર જાય ત્યારે માવજીભગતને હેરાન કરવા સારું ડુંગળીનો ગાંઠિયો મેલીને જાય અને પાણીના ગોળામાં પણ ડુંગળી નાંખે. એક વખત ગામના મંદિરે ધર્માનંદસ્વામી પધાર્યા હતા.…

શ્રીજીમહારાજ હસતા થકા બોલ્યા કે “અલી મહંમદ..! જા તું અમારા શરણે થયો છે તો તને એક હજારના દસ હજાર મળશે..!”

એકવખતે શ્રીજીમહારાજ ગઢપુરમાં દાદાખાચરના દરબારમાં લીંબવૃક્ષના ઓંટાએ ઉગમણી કોર ફળીમાં બેઠા હતા. એકવખતે અલી મહંમદ નામનો એક મુસલમાન ઘોડાનો સોદાગર દરબારગઢમાં આવ્યો. એ વખતે એના સમક્ષ ત્યાં ફળીમાં તાજણ ઘોડીને શ્રીહરિએ ફેરવી બતાવી. એ સોદાગર તો શ્રીહરિને જોઇને ચકિત થઇ…