Category અમૃતબાઈ

શ્રીહરિ ગામ સામત્રામાં પોતાના પ્રિયભક્ત રૂડા પટેલની વાડીએ પધાર્યા.

એકસમે શ્રીહરિ કચ્છદેશમાં સંતમંડળ-પાર્ષદો સાથે વિચરણ કરતાં કરતાં ગામ સામત્રા પધાર્યા ને પોતાના પ્રિયભક્ત એવા રૂડા પટેલને ઘરે ખબર આપ્યા, ત્યારે ખબર આપનારે આવીને કહ્યું, “હે મહારાજ ! રૂડા પટેલ તો વાડીએ ગયા છે.” એથી શ્રીહરિ સંઘ લઈને વાડીએ પધાર્યા.…