Category ધમડકા

શ્રીહરિએ ધમડકા દરબારશ્રી રાયધણજીને કહ્યું કે ‘તમે ટેકીલા ક્ષત્રિય છો, અને અમારા પણ ભકત કહેવાઓ છો, તમે આમ દિકરીઓને દૂધપીતી કરીને મહાપાપ કરો એ યોગ્ય નહી,”

આજથી અઢીસો વરહ પુર્વે સાંપ્રત સમાજમાં સતિપ્રથા અને દિકરીઓને દૂધપીતી કરવાનો અતિ ક્રૂર કૂરિવાજ હતો. ગુરુદેવ રામાનંદ સ્વામી અને ભકતવત્સલ શ્રીહરિ કચ્છદેશમાં અવારનવાર પધારતા ને પોતાના ભકતોને ઉપદેશ આપીને પોતાના આશ્રિતોને આવા અનેક કૂરિવાજથી મુક્ત કરતા હતા. એકસમયે શ્રીહરિ કચ્છદેશમાં…