Category બગસરા

મેપાભક્તે શ્રીજીમહારાજને વિનંતી કરીને કહ્યું જે, હે મહારાજ ! પોષ મહિનાની ટાઢ બવ છે, તે સવારે તેડવા આવજો.’ ત્યારે શ્રીજીમહારાજ કહે, ‘ભલે સવારે આવશું.’

ગામ બગસરામાં કૃપાનંદ સ્વામી અને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના યોગથી ભગવાનભાઇ, રૈયાભાઇ, ઉકાભાઇ, કરશનભાઇ, ભગાભાઇ તેમજ સથવારા કુટુંબના વેલાભાઇ ને મેપાભાઇ, તેમજ કોળી પરિવારો માં ખુબ સારો સત્સંગ થયો હતો. હરિભકત વેલાભાઇ, મેપાભાઇ વગેરે સહુ અવાર નવાર સંધમાં ગઢપુર જઇને શ્રીહરિની…