Category માંજરીયા મેરામભાઇ

દેરડી ગામના દરબાર ભક્ત એવા માંજરીયા મેરામભાઇને શ્રીજીમહારાજે કહ્યું કે, “મેરામભગત ! તમે રાત્રે ઉઠીને વાણિયાની દુકાને એક મુઠ્ઠી જુવાર ચોરી કરીને ખાધી એ ઠીક ન કર્યું.”

ગોંડલના દેરડી ગામના દરબાર ભક્ત એવા માંજરીયા મેરામભાઇ અને એમના પત્નિ બન્નેને સંતોના યોગે રૂડો સત્સંગ થયો હતો. સંવત ૧૮૬૮ની સાલમાં શ્રીજીમહારાજ સહું સંતો ભક્તો સાથે તેને ત્યાં પધાર્યા અને કહ્યું કે, “ભગત ! ભજન કરતા દાણાં ખૂટે તો ગઢડે…