Category મુમુક્ષતા

મૂળજીને એના મિત્ર કૃષ્ણજીએ કહ્યુંકે “મૂળજી હમણાં મે ભગવાન દીઠા.” આ વાત સાંભળતાં જ મૂળજી કહે “કૃષ્ણજી…! તે ભગવાન દીઠા તોય એને મૂકીને આવ્યો?”

કચ્છની ધીંગી ધરતી પર ભૂજથી થોડે દૂર માનકૂવા નામનું ગામ છે. સદગુરુ સર્વજ્ઞાનાનંદ સ્વામી નો જન્મ આ “માનકૂવા” ગામમાં થયો હતો. તેમનું પૂર્વાશ્રમનું નામ મૂળજી હતું. એકવાર શ્રીજી મહારાજ ભૂજથી માનકૂવાના માર્ગે જતા હતા. ત્યાં મૂળજીને એના જીગરજાન મિત્ર કૃષ્ણજીએ…