Category લક્ષ્મણ ભક્ત

શ્રીહરિએ કહ્યું, ‘આ સામે છીંકા ઉપર માટલીમાં, સાંજે જમવા સારુ રાખ્યો છે, તેમાંથી જમવા સારુ અડધો રોટલો આપો.’ એમ કહ્યું, ત્રણ માંથી મોટા બે ભાઇએ ના પાડી. પણ નાના લખુએ પોતાનો રોટલો જમવા આપ્યો.

શ્રીહરિ કચ્છ દેશમાં માનકુંવાથી રામપુરની વાડીમાં જવાની ઇચ્છા કરી નાથાભગત ને ઘોડી આપીને માનકુવે પાછો મોકલ્યો. ત્યાંથી શ્રીજીમહારાજ ચાલ્યા તે મેરાઇ વાડીએ દિવસ પહોર પાછલો હતો ત્યારે પધાર્યા, વાડીએ કોશ ચાલતો હતો, ત્યાં કુંડી ઉપર શ્રીહરિ જઇને ઊભા રહ્યા. તે…