Category ચરિત્ર

વડતાલમાં એક બાઈએ કહ્યું જે, “મહારાજ ! હું ત્યાં બેસી રહી ત્યાં તો ફૂતરો થાળ ખાઈ ગયો.” મહારાજ હસતા હસતા કહે, “ચાલો, જે એ થાળ ખાય ગયા છે એ કૂતરાને તો હું ઓળખું.”

એકવખતે દંઢાવ્ય દેશના રાજપુત પરમભકત ડુંગરજીભાઇ શ્રીહરિને દર્શને માનકુવા પધાર્યા. એ સમયે સુતાર નાથાભાઇને ઘેર શ્રીજીમહારાજ જમવા બેઠા હતા. એ વખતમાં શ્રીહરિ ભોજનમાં દરરોજ અર્ધાશેર મરચાંનો ગોળો કરીને જમતા હતા, આ વખતે ડુંગરજીભાઇ આવ્યા તે દંડવત્‌ પ્રણામ કરીને બારણાની સાખ…

શ્રીહરિએ કહ્યું, ‘આ સામે છીંકા ઉપર માટલીમાં, સાંજે જમવા સારુ રાખ્યો છે, તેમાંથી જમવા સારુ અડધો રોટલો આપો.’ એમ કહ્યું, ત્રણ માંથી મોટા બે ભાઇએ ના પાડી. પણ નાના લખુએ પોતાનો રોટલો જમવા આપ્યો.

શ્રીહરિ કચ્છ દેશમાં માનકુંવાથી રામપુરની વાડીમાં જવાની ઇચ્છા કરી નાથાભગત ને ઘોડી આપીને માનકુવે પાછો મોકલ્યો. ત્યાંથી શ્રીજીમહારાજ ચાલ્યા તે મેરાઇ વાડીએ દિવસ પહોર પાછલો હતો ત્યારે પધાર્યા, વાડીએ કોશ ચાલતો હતો, ત્યાં કુંડી ઉપર શ્રીહરિ જઇને ઊભા રહ્યા. તે…

શ્રીજી મહારાજ ચોકીના થાણેદાર ને બોલ્યા જે, “અમે સ્વામિનારાયણ છીએ ને અમારા પરમભકત દરબાર અભેસિંહજીને તેડવા જઈએ છીએ.’

ગામ લોધિકાના દરબાર મુકતરાજ શ્રીઅભેસિંહજી માંદા હતા, તેમની તબિયત જોવા સારુ જુનાગઢથી જોગી સદગુરું શ્રીમહાપુરુષદાસ સ્વામી પોતાનું મંડળ લઈને લોધીકા આવ્યા. મંદિરે ઉતારો કરીને દરબારશ્રી પાસે જઈ ‘જય સ્વામિનારાયણ’ કર્યા ને બે ઘડી બેસી ભગવાનના મહીમાની બળભરી વાતો કરી. ત્યારે…

કાણોતરમાં શાર્દુલે તેના બાપ ભરવાડ બોધાભાઈને કહ્યું ‘‘બાપા, મને શ્રીજીમહારાજ સહું સંતો સાથે તેડવા આવ્યા છે, માટે મને રજા આપો.’’

અમદાવાદ જિલ્લામાં બાવળા તાલુંકામાં ગામ કાણોતરમાં ભરવાડ બોધાભાઈ હતા. તે સંતોના વિચરણ ના યોગે બહુ સારા સત્સંગી થયા હતા. તેને કાણોતર ગામની પટલાઈ હતી. પોતે ચુસ્ત ધર્મનિયમવાળા હતા ને ઘેર બ્રાહ્મણ ને રસોઈ કરવા રાખેલ. તે સહુને છેટેથી પીરસીને જમાડે,…

ભકતરાજ અલૈયા ખાચર કાયમ ખુબ ઉદાસ થઈને પોતાનું બનાવેલું કીર્તન આર્તનાદે ગાતા: ભણે અલૈયો કાં જઉંને ભણું વાલા, મોળા સામીને ભણજો ! મોળા વાલા ! સેજાનંદ સામી વન્યા, ઘડીયે રયો નો જાય..!

ઝીંઝાવદર ગામના રાજા અલૈયાખાચર શ્રીજીમહારાજના અનન્ય ભક્ત હતા. તેમનું જીવન ખુબ રજવાડી ઠાઠમાઠવાળું હતું, છતાં શ્રીહરિ ના એકવચને તેઓ પરમહંસ દીક્ષા લઇને પોતાનો રજવાડી વેશ પોતાની ઘોડી ઉપર મેલીને ગામ બહારથી જ અઢાર પરમહંસો સાથે ભૂજ જવા ચાલી નીકળ્યા હતા.…

શ્રીહરિ કહે જે, ‘આજ તો સુતાર રવજીનું સારું કરવું છે’, એમ કહીને પોતે ઊઠ્યા ને રવજીભાઇને ઘેર થાળ જમવા પધાર્યા.

એકસમયે શ્રીહરિ કચ્છદેશમાં પોતાના ભકતજનો ને સુખ દેવા સારું કાળાતળાવ ગામે પધાર્યા હતા. એકદિવસે સુતાર ભીમજીએ શ્રીહરિને કહ્યું જે, નહાવા પધારો, ત્યારે શ્રીહરિ બોલ્યા જે, ‘આજ તો ગંગાજી આવે તો જ નાહીએ.’ ત્યારે ભીમજીએ કહ્યું જે, ગંગાજી તો આપની કયારના…

શ્રીહરિએ કહ્યું જે, આવા પાખંડને સાથે અમારે બને નહિ. કાં તો અમને રાખો, કાં તો આ બધાય પૂતળાના પૂજેલા દેવલાંને રાખો.

એકવખત શ્રીહરિ કચ્છદેશમાં ગામ માનકૂવામાં સુતાર નાથાભાઇને ઘેર પધાર્યા હતા. નાથા સુથારના પરિવારજનો બહું હેતવાળા પ્રેમીભકત હતા, જેઓ દરરોજ શ્રીહરિ ને થાળ બનાવી ને અતિ હેતે જમાડતા. એકદિવસે એમના જ માનકુંવા ગામનાં અબોટી બ્રાહ્મણ લવજી વિપ્રના પત્નિ ડાહીબાઇએ શ્રીહરિને પોતાને…

સદગુરુ બાલમુકુંદદાસ સ્વામી: “દરબાર, કુંવર જ્યારે અમારા દર્શને આવેલા ત્યારે અમે એના લલાટે લેખ વાંચી લીધેલા, એ સારું તો અમે એને સાધુ થવા કહ્યુ હતું, પણ તમે પુત્રમોહમાં અમારી વાતનો મર્મ સમજી શક્યા નહી. હશે, જેવી શ્રીહરિની મરજી.”

સદગુરુ ગોપાળાનંદ સ્વામીના અવારનવાર મેંગણી દરબાર માનસિંહ બાપુંના દરબારમાં પધારતા હતા. દરબારશ્રી માનભાં બાપુએ સ્વામીના યોગે જ દારું-માંસ વગેરે વ્યસનો તજીને સત્સંગ સ્વીકાર્યો હતો. ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદે સતંસગ માં જાણીતા પોતે ‘મેંગણીના માનભાં બાપુ’ એવે નામે એકાંતિક ભકત થયા હતા.…

ગામ સનાળાના વિપ્ર મુળજી મહારાજ બોલ્યા, ‘આ સમયે મને અક્ષરધામની પ્રાપ્તિ થાશે તો કરોડ વડોદરાં મળ્યાં તેમ જાણજો.’ એમ વાત કરતાં બાર વાગ્યાનો વખત થયો ત્યારે સહુને કહે ‘જય સ્વામિનારાયણ’ હું ધામમાં જાઉં છું.’ એમ કહી દેહ મેલ્યો.

એકવાર ગામ સનાળામાં પરમ હરિભક્ત વિપ્ર મુળજી મહારાજના કાકા હીરજી મહારાજે દેહ મેલ્યો. તે પછી ત્રીજે દિવસે મુળજી પોતાની ઓસરીની કોર ઉપર બેસીને દાંતણ કરતા હતા. તે વખતે તેમને શ્રીજીમહારાજનાં પ્રત્યક્ષ દર્શન થયાં ત્યારે મૂર્તિમાં પોતે જોડાઈ ગયા ને લક્ષ…

દરિયાખાનના ઘૂમ્મટમાં દુર્યોધનનો નાનો ભાઈ વિકર્ણ સત્ય ને પતિવ્રતાનો પક્ષ રાખ્યાના પ્રતાપે મુસલમાનનો નવાબ થયો હતો એનું કલ્યાણ કર્યું, હરિનામની ધૂન્ય કરાવી, તેને વર્તમાન ધરાવીને ભૂતયોનીમાંથી મુક્ત કરાવીને બદરિકાશ્રમમાં મોકલ્યા.

શ્રીજીમહારાજ અમદાવાદમાં દરિયાખાનના ઘૂમ્મટમાં સહું સંતો, કાઠીદરબારો અને પાર્ષદ અસવારો સહિત પધાર્યા હતા. ત્યાં દુર્યોધનનો નાનો ભાઈ વિકર્ણ જે પૂર્વે મુસલમાનનો નવાબ થયો હતો. પુર્વે મહાભારત સમયે રાજસભામાં પાંડવો જૂગટુમાં હારી જતા જ્યારે દ્રોપદીજીના ચીર પોતાના ભાઇ દુઃશાસને તાણ્યાં હતાં…

હળિયાદના માવજીભગત કહે, “તારું પાણી દે કોઈક ને, મેં તો તારું પાણી ઘણું પીધું, હવે તો શ્રીહરિ સાથે અક્ષરધામમાં જવું છે.”

ગામ હળિયાદમાં માવજીભાઇ કરીને હરિભગત હતા, તેના ઘરનું માણસ બહુ કુસંગી હતું. બાઇ જ્યારે ભાત લઈને ખેતર જાય ત્યારે માવજીભગતને હેરાન કરવા સારું ડુંગળીનો ગાંઠિયો મેલીને જાય અને પાણીના ગોળામાં પણ ડુંગળી નાંખે. એક વખત ગામના મંદિરે ધર્માનંદસ્વામી પધાર્યા હતા.…

ગોવર્ધનભાઇએ ત્રિકમને કહ્યું કે, ‘‘જો તારે સમાધિ જોવી હોય તો મારી સામું જો.’’

ગુરુદેવ રામાનંદ સ્વામીના શિષ્ય અને પરમ એકાતિંક મુકતરાજ એવા માંગરોળના શ્રીગોવર્ધનભાઇ પોતે સમાધિનિષ્ઠ હતા એટલે ત્રણેય અવસ્થામાં જ્યારે ઇચ્છે ત્યારે ભગવાનની મૂર્તિના પ્રત્યક્ષ દર્શન કરી શકતા. શ્રીજી મહારાજની કૃપાએ એ બીજાને પણ સમાધિ કરાવતા. એક દિવસ ગામના સર્વ સત્સંગીઓ ગોવર્ધનભાઇને…

વડોદરાના રામચંદ્ર વૈદ્ય વર્તમાન ધારણ કરી શ્રીહરિ પાસે સત્સંગી બન્યા

વડોદરાના સયાજીરાવ ગાયકવાડ સરકારના જાણીતા રામચંદ્ર વૈદ્ય સત્સંગનાં ખૂબ જ દ્વેષી હતા. રામચંદ્ર વૈદ્ય શ્રીડાકોરનાથજી (શ્રીરણછોડરાયજી) ના પરમ ભક્ત હતા. દર પૂનમે ડાકોર જતા. ડાકોરનાથનું ભજન કરતા. એકવાર હરિ ભટ્ટ શાસ્ત્રી નામના વિદ્વાન બ્રાહ્મણ ખૂબ જ બીમાર થયેલા. તેમનો ભત્રીજો…

પંચાળા-અગત્રાઇ સત્સંગીઓએ ગોળ પાર્ષદોને આપ્યો અને કહ્યું જે, ‘મહારાજ ભલે ના કહે, તમે આ ગોળ લઇ જજો અને અમારા વતિ શ્રીજીમહારાજને જમાડજો. અમારું જીવતર લેખે લાગશે’.

સંવત્‌ ૧૮૮૪ના વૈશાખ વદ ૨ ને દિવસે જુનાગઢ મંદિરમાં શ્રીહરિએ પોતાના સ્વહસ્તે મૂર્તિઓની પ્રતિષ્ઠાવિધી કરી, તેમાં વચલા મંદિરમાં શ્રીરણછોડજી અને શ્રીત્રિકમજી અને ઉગમણા મંદિરમાં સોરઠના ધીંગાઘણી શ્રીરાધારમણ દેવની મૂર્તિ અને આથમણા મંદિરમાં શ્રીસિધ્ધેશ્વર મહાદેવજી અને માત્ પાર્વતી અને શ્રીગણપતિજી ને…

દ્રવિડ દેશના દેવીવાળા મગ્નિરામને સાધું મહાદીક્ષા આપી ને ‘અદ્વેતાનંદ સ્વામી નામ પાડયું.

દ્રવિડ દેશના વિપ્ર મગ્નિરામને પ્રગટ ભગવાન મળે એવી તિવ્ર આકાંક્ષા હતી એટલે યુવાનવયે તીર્થોમાં ફરતો બંગાળ દેશમાં આવ્યો. ત્યાં સાંભળ્યું કે અહી પીપા મહારાજ હતા તેમના ઉપર શારદાદેવી પ્રસન્ન હતી, આથી થયું કે, ”મને પણ શારદાદેવી સિદ્ધ કરાવે એવો કોઈ…