Category ૧૩ નંદસંતો

શ્રીજીમહારાજ રાજી થયા ને બોલ્યા કે “સિંહના તો સિંહ જ હોય ને’’ આમ, ત્રણેયને સાધુ દીક્ષા આપી ‘‘પ્રજ્ઞાનંદ સ્વામી, નિઃસ્વાદાનંદ સ્વામી તથા ત્રિગુણાતીતાનંદ સ્વામી’’ એવા નામ પાડ્યું.

શ્રીજીમહારાજના વિરાટ નંદસંતોના નભમંડળમાં અનેક તેજસ્વી નક્ષત્ર મંડળો શોભતાં હતાં. તેમાં સદગુરુ નિત્યાનંદ સ્વામીના મંડળમાં અનેક તેજસ્વી ગ્રહ તારલાઓ હતા. જેમાંના પ્રજ્ઞાનંદ સ્વામી એક નિઃસ્વાર્થ, ઉદાર સેવાભાવી અને કઈંક મુમુક્ષુ માનવી ઓને પ્રગટ શ્રીહરિની ઓળખાણ કરાવીને ભગવદનુરાગી બનાવે એવા અતિ…